રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને કર્યા સવાલ
Published on: 29th July, 2026

લોકસભામાં 'એન્ટી પેપર લીક બિલ' પસાર થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી પર પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે સંસદમાં તેમને બોલવાનો મોકો મળ્યો નથી અને સંસદથી 500 મીટર દૂર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરાયો. રાહુલ ગાંધીએ ગૃહમંત્રીને પ્રશ્ન કર્યો કે જો તેમને જાણ નહોતી તો તે ગંભીર છે, અને જો જાણ હતી તો કાર્યવાહી કેમ ન થઈ. તેમણે વડાપ્રધાનને ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ કરી. આ આરોપો પર ભાજપે રાહુલ ગાંધી પર જૂઠ્ઠાણું ફેલાવવાનો અને વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.