પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો!
પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો!
Published on: 26th April, 2026

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સે ગઇકાલે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે છ વિકેટે જીત મેળવીને ઇતિહાસ રચી દીધો. PBKSએ 265 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો, જે માત્ર IPL જ નહીં પરંતુ T20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે. પ્રભસિમરન સિંહ (26 બોલમાં 76 રન) અને પ્રિયાંશ આર્યએ (17 બોલમાં 43 રન) ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચ પૂરી કરી હતી.