IND vs ENG: T20 મેચોના સમયમાં ફેરફાર, દર્શકોને આકર્ષવા ECBનો મોટો નિર્ણય.
IND vs ENG: T20 મેચોના સમયમાં ફેરફાર, દર્શકોને આકર્ષવા ECBનો મોટો નિર્ણય.
Published on: 08th June, 2026

ભારતીય ક્રિકેટ ટીમ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં 5 T20 મેચોની શ્રેણી રમશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ શ્રેણી શરૂ થતાં પહેલાં 3 ડે-નાઇટ મેચોના સમયમાં ફેરફાર કર્યો છે. આ મેચો હવે ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે, જે અગાઉ રાત્રે 11:00 વાગ્યે રમાવાની હતી. ECB નો આ નિર્ણય મહત્તમ વ્યૂઅરશિપ (દર્શકો) મેળવવા અને બ્રોડકાસ્ટર્સની આવક વધારવા માટે લેવામાં આવ્યો છે, કારણ કે ભારતીય દર્શકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે.