વર્લ્ડકપ 2027: ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી?
વર્લ્ડકપ 2027: ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી?
Published on: 01st August, 2026

આગામી વનડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને, રવિચંદ્રન અશ્વિને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કોચ ગૌતમ ગંભીરને ભુવનેશ્વર કુમારને ટીમમાં પાછા લાવવાની સલાહ આપી છે. અશ્વિનના મતે, દક્ષિણ આફ્રિકામાં રમાનારા વર્લ્ડ કપમાં ભુવનેશ્વરના અનુભવ અને સ્માર્ટ બોલિંગની ભારતને ખૂબ જરૂર પડશે. IPL 2026માં RCB માટે શાનદાર પ્રદર્શન કરનાર ભુવનેશ્વરનો દક્ષિણ આફ્રિકામાં રેકોર્ડ પણ સારો રહ્યો છે. અશ્વિને પોતાના સંભવિત 15 ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે, જેમાં ઘણા મોટા નામ સામેલ છે.