સરકારનો દાવો- ઈથેનોલ વિના પેટ્રોલનો ભાવ 125 રૂપિયા થઈ ગયો હોત!
સરકારનો દાવો- ઈથેનોલ વિના પેટ્રોલનો ભાવ 125 રૂપિયા થઈ ગયો હોત!
Published on: 01st August, 2026

પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ 135 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા ત્યારે ઇથેનોલ મિશ્રણ ન થયું હોત તો દિલ્હીમાં પેટ્રોલ 125 રૂપિયા પ્રતિ લીટર થયું હોત. ઇથેનોલના 20% હિસ્સાએ પ્રતિ લીટર લગભગ 30 રૂપિયા બચાવ્યા, ગ્રાહકોને 94.77 રૂપિયા જ ચૂકવવા પડ્યા. સરકાર ગરીબોના અનાજનો ઇથેનોલ ઉત્પાદન માટે દુરુપયોગ થવાના આક્ષેપોને ફગાવે છે. E20 ઇંધણથી વાહનના પ્રદર્શન પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી.