Ambaji Bhadarvi Poonam 2025: અંબાજી મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા 82 જેટલાં વિખુટા પડેલા બાળકોનું પુનઃમિલન કરાયું.
Ambaji Bhadarvi Poonam 2025: અંબાજી મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા 82 જેટલાં વિખુટા પડેલા બાળકોનું પુનઃમિલન કરાયું.
Published on: 05th September, 2025

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકો માટે બાળ સહાયતા કેન્દ્ર શરૂ કરાયું છે. જેમાં દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ ખાતે કેન્દ્રો છે. અત્યાર સુધી 82 જેટલાં બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. 19,000થી વધુ બાળકોને આઈકાર્ડ આપવામાં આવ્યા છે. બાળકોને રમતો રમાડવામાં આવે છે અને માતાઓને ફીડિંગ માટે વ્યવસ્થા છે.