વિરમગાના જૈન સમુદાયે સંવતસરી પર્વની ઉજવણી કરી
વિરમગાના જૈન સમુદાયે સંવતસરી પર્વની ઉજવણી કરી
Published on: 16th September, 2026

વિરમગામ અને ધાકડી લબ્ધિ તીર્થમાં જૈન સમાજે પ્રયુષણ પર્વના અંતિમ દિવસે સંવતસરી પર્વની ભવ્ય ઉજવણી કરી. જીનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અભિષેક, પૂજા-અર્ચના અને વ્યાખ્યાન યોજાયા. શાલીભદ્ર આરાધના ભવન, જીવીબાના ઉપાશ્રાય અને વિવિધ જૈન સંઘોમાં સાધુ-સાધ્વીજીઓની નિશ્રા હેઠળ સંવતસરી પ્રતિક્રમણ યોજાયું. હજારો જૈન પરિવારોએ પ્રતિક્રમણ કરી, સગા-સંબંધીઓ અને સ્નેહીજનોને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના કરી. આ પર્વ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાયો.