ખત્રીપોળમાં ગણેશ મંડપને આગ લગાડનાર પિતા-પુત્રી સામે ફરિયાદ
ખત્રીપોળમાં ગણેશ મંડપને આગ લગાડનાર પિતા-પુત્રી સામે ફરિયાદ
Published on: 07th September, 2026

વડોદરાના કારેલીબાગ સ્થિત ખત્રીપોળમાં ગણેશ મંડપને જાણીજોઈને આગ લગાડવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખત્રીપોળ સાંસ્કૃતિક સેવા મંડળના પ્રમુખે પાડોશી ભરત ચૌહાણ અને તેમની પુત્રી રિંકુ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રત્યક્ષદર્શી મિત મોહિતે ભરતને માચીસ સાથે આગ ચાંપતા જોયો હતો. આગ લાગવાથી મંડપના ડેકોરેશનને નુકસાન થયું હતું. પૂછપરછ દરમિયાન પિતા-પુત્રી દ્વારા ગાળાગાળી કરાયાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.