જામનગરમાં દગડુશેઠ ગણપતિ: સોનાના વરખ અને હીરાથી ભવ્ય શણગાર
જામનગરમાં દગડુશેઠ ગણપતિ: સોનાના વરખ અને હીરાથી ભવ્ય શણગાર
Published on: 10th September, 2026

જામનગરમાં 34 વર્ષથી શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મંડળ દ્વારા ભવ્ય ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે પણ આસ્થા, કલા અને એકતાના સંગમ સમાન મહોત્સવ માટે ખાસ તૈયારીઓ છે. વાંસ, કાપડ, માટી સાથે સોનાના વરખ અને ડાયમંડથી ગણેશજીની પ્રતિમા શણગારાઈ રહી છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણ બનશે. ડેકોરેશનમાં મહારાષ્ટ્રના તુલજા ભવાની માતાજીના ‘રાજે શહાજી મહાદ્વાર’ની પ્રતિકૃતિ બનાવાઈ રહી છે, જે ભારતીય સંસ્કૃતિની ઝલક આપશે. મહિનાઓની મહેનત બાદ આ ભવ્ય આયોજન થયું છે.