તળાજાનું પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર
તળાજાનું પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર
Published on: 08th September, 2026

શેત્રુંજી નદીના રમણીય કિનારે આવેલું તળાજાનું પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર ભક્તોને દિવ્ય શક્તિઓની અનુભૂતિ કરાવે છે. રાજવી ઝાંઝરસિંહજી વાળાના રાજ્યકાળ દરમિયાન સ્થાપિત આ શિવાલય, જે ઈશાનમુખી છે, તેની સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સદીઓ જૂના આ મંદિરમાં કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. વર્ષ ૨૦૦૯માં તેનું પુનઃજીર્ણોદ્ધાર થયું હતું.