સાળંગપુરધામમાં કોપીરાઈટ વિવાદ: સંગઠનોના વિરોધ વચ્ચે ટ્રસ્ટની સ્પષ્ટતા
સાળંગપુરધામમાં કોપીરાઈટ વિવાદ: સંગઠનોના વિરોધ વચ્ચે ટ્રસ્ટની સ્પષ્ટતા
Published on: 13th June, 2026

સાળંગપુરધામમાં 'કિંગ ઓફ સાળંગપુર' અને સર્જનાત્મક કૃતિઓ પર કોપીરાઈટ મેળવવાના મુદ્દે વિરોધ ઊભો થયો છે. સનાતન ધર્મના સંગઠનો અને સંતોએ આને આસ્થા પર તરાપ ગણાવી છે. બીજી તરફ, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે કોપીરાઈટનો હેતુ ભક્તોની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી સામે લડવાનો છે, ભગવાન પર માલિકી હક્ક સ્થાપિત કરવાનો નથી. નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ દ્વારા થતી છેતરપિંડી રોકવા આ પગલું જરૂરી બન્યું છે.