15 જૂને વર્ષની પ્રથમ સોમવતી અમાસ: પવિત્ર સ્નાન, દાન અને શુભ મુહૂર્તનું મહત્વ
15 જૂને વર્ષની પ્રથમ સોમવતી અમાસ: પવિત્ર સ્નાન, દાન અને શુભ મુહૂર્તનું મહત્વ
Published on: 13th June, 2026

સનાતન ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આગામી 15 જૂન, 2026ના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ આવી રહી છે. આ પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે પૂજા-અર્ચના, પવિત્ર સ્નાન અને દાન પુણ્યનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષાચાર્યોના મતે, આ દિવસે શુભ કાર્યો કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અમાસ તિથિ 14 જૂને બપોરે 12:20 વાગ્યે શરૂ થઈ 15 જૂને સવારે 8:24 વાગ્યે સમાપ્ત થશે, પરંતુ ઉદયા તિથિ મુજબ 15 જૂને જ ઉજવાશે. બ્રહ્મ મુહૂર્ત અને ગોધૂલિ મુહૂર્ત જેવા શુભ સમયમાં પૂજા કરવી. દાનમાં અન્નદાન શ્રેષ્ઠ છે અને આ દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.