વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ, 3 શ્રમિકના મોત!
વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ, 3 શ્રમિકના મોત!
Published on: 13th June, 2026

વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત નીપજ્યા છે. હાઇટેન્શન લાઇન કેબલો નાખવાના કામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. વેસ્ટ બેંગોલથી કામ અર્થે આવેલા શ્રમિકોના મોતને પગલે તપાસ અર્થે આવેલા અધિકારીઓ ઘટના બાબતે જવાબ આપવા ઇનકાર કરી રહ્યા છે. કોન્ટ્રાક ટી.એલ.એલ. કંપનીને વીજ થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાક મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.