પુરુષોત્તમ માસના અંતિમ ચરણમાં!
પુરુષોત્તમ માસના અંતિમ ચરણમાં!
Published on: 14th June, 2026

પવિત્ર પુરુષોત્તમ માસ તેના અંતિમ ચરણમાં છે, જે 15 જૂને અમાસ સાથે પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય આ માસમાં ગોપીજનો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસો, ખાસ કરીને તેરસ, ચૈાદશ અને અમાસનું ધાર્મિક મહત્વ વધારે છે, જેમાં કરાયેલા જપ, તપ, દાન અને વ્રતનું અનેકગણું ફળ મળે છે. માસિક શિવરાત્રિ નિમિત્તે ભવનાથ સ્થિત દામોદરકુંડમાં ભાવિકોએ સ્નાન અને પિતૃ તર્પણ કર્યું, જેના કારણે ભારે ભીડ જોવા મળી. રાજકોટ, વડોદરા, અમદાવાદ અને જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ભક્તોએ રાસ, ભજન અને કીર્તન દ્વારા ભક્તિમાં લીન થઈ માસિક શિવરાત્રિની ઉજવણી કરી.