આધ્યાત્મિક ટુરિઝમ : દેશના અર્થતંત્રમાં 23 લાખ કરોડ રૂપિયાનો ફાળો
આધ્યાત્મિક ટુરિઝમ : દેશના અર્થતંત્રમાં 23 લાખ કરોડ રૂપિયાનો ફાળો
Published on: 14th June, 2026

વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે મિડલ ઇસ્ટના મશહૂર ડેસ્ટિનેશન કે યુરોપનો પ્રવાસ લોકો ટાળતા હોવાથી પણ દેશની અંદર જ વિવિધ સ્થળે ફરવાનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાય છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના તાજા સર્વેમાં એવી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષ ભારતના ટુરિઝમ સેક્ટર માટે ખૂબ જ ફળદાયી નીવડશે. આ વર્ષે આ યાત્રા- પ્રવાસના ક્ષેત્રમાંથી ૨૩ લાખ કરોડ રૂપિયા દેશના અર્થતંત્રને મળશે. ઉપરાંત આશરે પાંચ કરોડ લોકોને રોજગાર મળશે.