શિક્ષકો અંગે મંત્રી રમેશ કટારાના નિવેદનથી ભારે વિવાદ, શિક્ષકોમાં આક્રોશ
શિક્ષકો અંગે મંત્રી રમેશ કટારાના નિવેદનથી ભારે વિવાદ, શિક્ષકોમાં આક્રોશ
Published on: 14th June, 2026

કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાના શિક્ષકોને લઈને કરાયેલા નિવેદન બાદ રાજ્યભરમાં શિક્ષક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે, જેમાં તેમણે શિક્ષકોને મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને કામ કરવા તૈયાર ન હોવાનું જણાવ્યું. મંત્રીના આ નિવેદન સામે શિક્ષક સંગઠનો અને શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, જેઓ દલીલ કરે છે કે સાચી પરિસ્થિતિ જાણ્યા વિના આવા નિવેદનો શિક્ષક સમાજની લાગણી દુભાવે છે.