આસામ-મેઘાલય વિવાદ: તોડફોડ બાદ પેટ્રોલ પંપો પર લાંબી કતારો
આસામ-મેઘાલય વિવાદ: તોડફોડ બાદ પેટ્રોલ પંપો પર લાંબી કતારો
Published on: 22nd August, 2026

ઉત્તર-પૂર્વના રાજ્યો આસામ અને મેઘાલય વચ્ચે ફરી તણાવ સર્જાયો છે. મેઘાલયના શિલોંગમાં યુવાનોના આંદોલન દરમિયાન થયેલી તોડફોડ બાદ બંને રાજ્યો વચ્ચેનો વિવાદ વકર્યો છે. આ પરિસ્થિતિને કારણે પરિવહન અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે. મેઘાલયના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આસામથી મેઘાલયમાં ઈંધણ પુરવઠો રોકવાની ધમકી આપવામાં આવી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે.