જામનગરમાં ચાર દિવસમાં 458 ગણેશ મૂર્તિઓનું નિર્ધારિત કુંડમાં વિસર્જન
જામનગરમાં ચાર દિવસમાં 458 ગણેશ મૂર્તિઓનું નિર્ધારિત કુંડમાં વિસર્જન
Published on: 18th September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન માટે નિર્માણ કરાયેલા બંને વિસર્જન કુંડમાં ભક્તો દ્વારા બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જનના ચોથા દિવસે, 17 સપ્ટેમ્બરના રોજ, શહેરના બંને કુંડમાં કુલ 62 મૂર્તિઓનું વિસર્જન થયું. આ સાથે, ચાર દિવસના સમયગાળામાં, ખંભાળિયા બાયપાસ કુંડમાં 370 અને સરદાર રિવેરા કુંડમાં 88 મળી કુલ 458 મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવી રહી છે.