ક્ષમા: જીવનને હળવું અને પવિત્ર બનાવવાની કળા અને તાકાત
ક્ષમા: જીવનને હળવું અને પવિત્ર બનાવવાની કળા અને તાકાત
Published on: 13th August, 2026

આજની દોડધામભરી જિંદગીમાં નાની-નાની બાબતોમાં મન દૂખી થઈ જાય છે. કોઈનો વ્યવહાર કે ભૂતકાળની ઘટનાઓ મનમાં ભાર બની રહે છે. આ ભારમાંથી મુક્ત થવાનો માર્ગ 'ક્ષમા' છે. ક્ષમા નબળાઈ નથી, પણ અંદરની સૌથી મોટી તાકાત છે. શાસ્ત્રોમાં ક્ષમાને સર્વોત્તમ ગુણ ગણાવ્યો છે. ક્ષમાથી માનસિક શાંતિ મળે છે અને ક્રોધ-અદાવતની આગથી આંતરિક શાંતિ બચી જાય છે. બીજાને ક્ષમા આપવી એ પોતાના આત્માની મુક્તિ માટેનું દાન છે. કરુણા સાથેની ક્ષમા અહંકારને ઓગાળે છે.