જામનગરમાં દીવાસાના જાગરણમાં પરિણીતા બહેનોએ અખંડ સૌભાગ્ય માટે નિભાવી પરંપરા
જામનગરમાં દીવાસાના જાગરણમાં પરિણીતા બહેનોએ અખંડ સૌભાગ્ય માટે નિભાવી પરંપરા
Published on: 13th August, 2026

અષાઢ માસના અંતિમ દિવસે, જામનગરમાં પરિણીતા બહેનોએ એવરત-જીવરત વ્રત સાથે દિવાસાનું દોઢ દિવસનું જાગરણ કર્યું. અખંડ સૌભાગ્યની કામના સાથે, તેઓએ ઉપવાસ રાખીને એવરત-જીવરત, અજયા માતા અને વિજયા માતાની પૂજા કરી. અષાઢ વદ તેરસથી શરૂ થયેલા આ વ્રતમાં દિવસ-રાત જાગરણ કરવામાં આવ્યું. દિવાસાની રાત્રિ બાદ શ્રાવણ માસના પ્રથમ દિવસની સાંજ સુધી જાગરણની પરંપરા જળવાઈ રહેશે. જ્વારાની પૂજા અને દીવા પ્રગટાવવાને કારણે આ દિવસ દિવાસો તરીકે ઓળખાય છે.