'છોટીકાશી' જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં 'હર હર મહાદેવ' નો ગુંજારવ
'છોટીકાશી' જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં 'હર હર મહાદેવ' નો ગુંજારવ
Published on: 13th August, 2026

'છોટી કાશી' જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભક્તોએ વહેલી સવારથી જ સિદ્ધનાથ, ભીડભંજન, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, નીલકંઠ, વૈજનાથ, પ્રતાપેશ્વર, નર્મદેશ્વર, જળેશ્વર, સુખનાથ, મણીકંકેશ્વર સહિતના મંદિરોમાં બિલિપત્ર, જલાભિષેક અને રુદ્રાભિષેક કરી શિવજીને રિઝવ્યા હતા. મહાનગરપાલિકા, પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવાઈ હતી.