વડોદરામાં તિરૂપતિ ઇમિગ્રેશનએ કેનેડાના નામે 16 જણા પાસે 1.23 કરોડ ઠગી લીધા
વડોદરામાં તિરૂપતિ ઇમિગ્રેશનએ કેનેડાના નામે 16 જણા પાસે 1.23 કરોડ ઠગી લીધા
Published on: 20th August, 2026

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી તિરૂપતિ ઇમિગ્રેશન ઓફિસના સંચાલક પિતા-પુત્ર જિજ્ઞાસુ પટવા અને તેના પુત્ર કશ્યપ પટવાએ કેનેડા સહિત અન્ય દેશોમાં મોકલવાના નામે 16 લોકો પાસેથી 1.23 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મુદ્રણ પટેલે કેનેડા મોકલવાના બહાને 11 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જિજ્ઞાસુ પટવા વિશ્વાસ સંપાદન કરીને કરાર કરતો હતો અને પુત્ર પરીક્ષાની તૈયારી કરાવતો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.