દાહોદ: સોમવતી અમાસે ત્રિવેણી સંગમે સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો જનમેદની
દાહોદ: સોમવતી અમાસે ત્રિવેણી સંગમે સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો જનમેદની
Published on: 17th June, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામ ખાતે આવેલા ત્રિવેણી સંગમ પર અધિક માસની સોમવતી અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ આસપાસના વિસ્તારોમાંથી લોકો ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કરી શ્રી ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહી અને જયઘોષ ગુંજતા રહ્યા.