ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ અને યોગ માટે 'વોક ફેર પીસ' કાર્યક્રમ યોજાયો
ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ અને યોગ માટે 'વોક ફેર પીસ' કાર્યક્રમ યોજાયો
Published on: 15th June, 2026

ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા 'વોક ફેર પીસ એન્ડ યોગ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ નાગરિકો જોડાયા હતા, જેમણે શાંતિ અને યોગનો સંદેશ ફેલાવવામાં યોગદાન આપ્યું. બી.કે. પ્રભા દીદીના માર્ગદર્શન હેઠળ, બી.કે. નીમા દીદીએ રાજયોગ અને મુરલી ક્લાસ લીધા, ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડના બી.કે. સુરેન્દ્રભાઈએ યોગાભ્યાસ કરાવ્યો. વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલે વોક ફેર પીસ એન્ડ યોગા રેલીને ફ્લેગ ઓફ્ આપી પ્રસ્થાન કરાવ્યું.