ભરૂચ BAPS મંદિરે રામ નવમી અને સ્વામિનારાયણ જયંતિની ઉજવણી.
ભરૂચ BAPS મંદિરે રામ નવમી અને સ્વામિનારાયણ જયંતિની ઉજવણી.
Published on: 30th March, 2026

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં BAPS મંદિરે રામ નવમી અને સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઈ. હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં આકર્ષક લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું. રાત્રે આતિશબાજી કરવામાં આવી. સંતોએ પ્રવચન આપ્યું. ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા. સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી. આયોજનને સફળ બનાવવા સ્વયંસેવકોએ સેવા આપી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો.