દ્વારકામાં દ્વારકાધીશ-રૂક્ષ્મણીજીનો ત્રિ-દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો.
દ્વારકામાં દ્વારકાધીશ-રૂક્ષ્મણીજીનો ત્રિ-દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો.
Published on: 30th March, 2026

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીનો ત્રિ-દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો. 'જય દ્વારકાધીશ'ના નાદથી દ્વારકા નગરી ગુંજી ઉઠી હતી. પૂજારી અરુણભાઈ દવેના જણાવ્યા અનુસાર લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન થઈ, જેમાં હલ્દી વિધિ, વરઘોડો અને મંગળ ફેરાનો સમાવેશ થાય છે. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ દર્શનનો લાભ લીધો અને રાસ-ગરબાનું આયોજન થયું.