સનાતનને ખતમ કરી દેવો જોઈએ: ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી.
સનાતનને ખતમ કરી દેવો જોઈએ: ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી.
Published on: 12th May, 2026

તમિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિને ફરી સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકીય હોબાળો મચ્યો છે. તેમણે સનાતન ધર્મને સમાજમાં વિભાજન ફેલાવનાર ગણાવી તેના નાશની વાત કરી હતી. ભાજપે આ નિવેદનને ઝેરી અને વિભાજનકારી ગણાવી આકરી ટીકા કરી છે. અગાઉ પણ તેમના આવા નિવેદનો વિવાદમાં આવ્યા હતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તેમના ભાષણોને ‘હેટ સ્પીચ’ ગણાવતાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓ સામે ગંભીર નોંધ લીધી હતી.