પત્રકારોને ધમકી આપવા મામલે શિંદેએ પાટીલને ઠપકો આપીને માફી માગવા કહ્યું
પત્રકારોને ધમકી આપવા મામલે શિંદેએ પાટીલને ઠપકો આપીને માફી માગવા કહ્યું
Published on: 26th June, 2026

સાંસદ સંજય દીના પાટીલ દ્વારા પત્રકારોને અપશબ્દો અને ધમકી આપવાના વિવાદે રાજકીય ગરમાવો વધાર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધમકી આપનાર સામે કાયદેસર કાર્યવાહી થશે તેમ કહ્યું, જ્યારે ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકારો સાથે આવું વર્તન અયોગ્ય ગણાવી પાટીલને માફી માગવાની સલાહ આપી છે. પાટીલે પોતાના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું હોવાનો દાવો કર્યો છે. શિંદે જૂથના નેતાઓએ પણ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી પત્રકારોની માફી માગી છે.