માણસના જીવની કિંમત માત્ર 6 લાખ રૂપિયા...ગુજરાત સરકારે સહાય જાહેર કરી હાથ ખંખેરી લીધા
માણસના જીવની કિંમત માત્ર 6 લાખ રૂપિયા...ગુજરાત સરકારે સહાય જાહેર કરી હાથ ખંખેરી લીધા
Published on: 19th July, 2026

ગુજરાતમાં અનેક માનવસર્જિત આપત્તિઓ અને આગ દુર્ઘટનાઓએ સાબિત કર્યું છે કે શાસકોની નજરમાં જનતાના જીવની કિંમત માત્ર ચાર-છ લાખ વળતરથી વધુ કંઈ નથી. સુરત, રાજકોટ અને ડીસા જેવી ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. સરકાર સહાય આપી સહાનુભૂતિનો દેખાડો કરીને જવાબદારીમાંથી છટકી જાય છે. વાસ્તવમાં, ભ્રષ્ટ તંત્ર અને નિષ્ઠુર શાસકો આ કરુણ દુર્ઘટનાઓ માટે મુખ્યત્વે જવાબદાર છે. ફાયર સેફ્ટી વિભાગ અને સ્થાનિક મહાનગરપાલિકાઓ ભ્રષ્ટાચારના અડ્ડા બન્યા છે, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહે છે.