દુકાનને બદલે આવાસ આપ્યાનો દાવો ખોટો: લાભાર્થી યાદીમાં ડેપ્યુટી મેયરનું નામ
દુકાનને બદલે આવાસ આપ્યાનો દાવો ખોટો: લાભાર્થી યાદીમાં ડેપ્યુટી મેયરનું નામ
Published on: 20th September, 2026

રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ નટરાજનગર આવાસ યોજનામાં કમાણી કરવા આવાસ મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે. તેમના જણાવ્યા મુજબ, મનપાએ તેમને દુકાનને બદલે આવાસ આપ્યું અને તેમણે આવાસ માંગ્યું ન હતું. જોકે, 2000થી મકાન-દુકાન ધરાવતા વસાણીએ સ્લમના આવાસ માટે પોતે પુરાવા આપ્યા હતા. પ્રથમ યાદીમાં જ તેમનું નામ ઉમેરાયું હતું, જેમાં તેઓ નટરાજનગર સ્લમમાં રહેતા હોવાનું અને બીજી કોઈ મિલકત ન હોવાનું દર્શાવ્યું હતું. દુકાનને બદલે આવાસ આપવાની કોઈ પદ્ધતિ નથી, અને આવો કોઈ ઠરાવ પણ થયો નથી.