મહારાષ્ટ્ર રાજકારણ: અમિત શાહ બાદ PM મોદીને મળ્યા સુનિલ તટકરે
મહારાષ્ટ્ર રાજકારણ: અમિત શાહ બાદ PM મોદીને મળ્યા સુનિલ તટકરે
Published on: 29th July, 2026

દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં NCPના બંને જૂથોના વિલીનીકરણની વાતો જોર પકડી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ મતવિસ્તારના લોકસભા સભ્ય સુનિલ તટકરેએ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ, તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ મુલાકાતોને કારણે શરદ પવારની પાર્ટી NDAમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. તટકરેની રાજકીય ગતિવિધિઓ અને PM મોદી સાથેની તેમની ચર્ચા વિકાસ કાર્યો અંગે હોવાનું જણાવાયું છે.