કેજરીવાલની PM મોદીને ખુલ્લી ચેતવણી!
કેજરીવાલની PM મોદીને ખુલ્લી ચેતવણી!
Published on: 29th July, 2026

આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ સામે મોરચો ખોલ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 2023 પહેલાં બનેલી ગાડીઓમાં E20નો ઉપયોગ સુરક્ષિત છે કે નહીં તે અંગે 29 ઓટોમોબાઇલ કંપનીઓએ મોદી સરકારના દબાણને કારણે લેખિતમાં જવાબ આપ્યો નથી. કેજરીવાલે દાવો કર્યો કે સરકાર કંપનીઓને ધમકાવી રહી છે. તેમણે જણાવ્યું કે E20 પેટ્રોલ જબરદસ્તીથી થોપવામાં આવી રહ્યું છે, જે ગાડીઓની માઇલેજ ઘટાડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેમણે PM મોદીને E20નો નિર્ણય શાંતિથી પાછો ખેંચી લેવા કહ્યું, નહીંતર જનતા આંદોલન કરીને નિર્ણય પાછો ખેંચાવશે.