પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
Published on: 26th April, 2026

આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે 'ટર્બનેટર' ટૂંક સમયમાં જ AAPને અલવિદા કહીને કેસરીયો ધારણ કરી શકે છે. હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે.