જગ્યા ખાલી હોય તો દિવ્યાંગોની ભરતી શા માટે નહીં? હાઇકોર્ટની સરકારને ટકોર.
જગ્યા ખાલી હોય તો દિવ્યાંગોની ભરતી શા માટે નહીં? હાઇકોર્ટની સરકારને ટકોર.
Published on: 11th September, 2026

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગોને અનામત આપવાના મામલે સરકારને આડે હાથે લીધી છે. કોર્ટે ટકોર કરી કે 21 હજાર જગ્યા ખાલી હોવા છતાં શા માટે દિવ્યાંગોની ભરતી થતી નથી. સરકારે 21 હજારમાંથી 5 હજાર દિવ્યાંગો લાયક ન હોવાનું જણાવ્યું, જ્યારે 7 હજાર પોસ્ટ પર કામગીરી ચાલી રહી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે સ્પષ્ટતા માંગી કે કયા વિભાગમાં, કઈ પોસ્ટ પર, કેટલા અપંગતા ધરાવતા વ્યક્તિની નિમણૂક થઈ તેની વિગતો રજૂ કરો. સરકારે આંકડામાં ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યું પણ પૃથક્કરણનો અભાવ જણાયો.