અમદાવાદમાં M.P. ફિનકોર્પના મિહિર પરીખ સામે 41 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ
અમદાવાદમાં M.P. ફિનકોર્પના મિહિર પરીખ સામે 41 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ
Published on: 11th September, 2026

અમદાવાદમાં ‘એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ’ના સંચાલક મિહિર જીતેન્દ્ર પરીખ અને અન્ય સામે 41 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રૂપેશસિંઘ તોમરે મિહિર પરીખ, તેની પત્ની ધારા, માતા ગીતા અને હેમરાજસિંહ વિક્રમસિંહ રાણા સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. મિહિરે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી, લોન અપાવી 41 લાખ રૂપિયા રોકાણ કરાવ્યું. ત્યારબાદ બોગસ એપ્લિકેશન અને PDF બતાવી છેતરપિંડી કરી. આ અગાઉ પણ આ પેઢી સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે.