અમદાવાદમાં પ્રથમ વખત જીઓપોલિમર ટેક્નોલોજીથી રોડ રિપેર
અમદાવાદમાં પ્રથમ વખત જીઓપોલિમર ટેક્નોલોજીથી રોડ રિપેર
Published on: 11th September, 2026

અમદાવાદમાં કોંક્રિટ રોડના સમારકામ માટે હવે જીઓપોલિમર ટેક્નોલોજીનો સૌપ્રથમવાર ઉપયોગ થશે. આ ટેક્નોલોજીથી રિપેર થયેલો રસ્તો માત્ર 2 કલાકમાં ટ્રાફિક માટે ખુલ્લો થઈ શકશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઘટશે. આ ટેક્નોલોજી ઝડપી રિપેરિંગ અને ટકાઉપણાને કારણે ભવિષ્યમાં શહેરી રોડ રિપેર માટે એક મહત્ત્વનો વિકલ્પ બની શકે છે. આ ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રી અને ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે.