અમદાવાદ ઇસનપુર નકલી પોલીસ અપહરણ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
અમદાવાદ ઇસનપુર નકલી પોલીસ અપહરણ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
Published on: 11th September, 2026

અમદાવાદના ઇસનપુરમાં મોડી રાત્રે બાઇક પર પસાર થતાં યુવકનું અપહરણ કરી રૂ.1.60 લાખ પડાવી લેનાર નકલી પોલીસ શાકીરહુસેન શેખની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.આઇ.પટેલે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું કે, આરોપીએ ફરિયાદીનું અપહરણ કરી પૈસા પડાવી લીધા છે અને ફરિયાદીએ તેને ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યો છે. ગુનાની ગંભીરતા અને ચાર્જશીટ બાદ સંજોગો બદલાયા ન હોવાનું જણાવી, કોર્ટે ન્યાયી અને વ્યાજબી ઠેરવી જામીન અરજી નામંજૂર કરી.