મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય!
મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય!
Published on: 23rd June, 2026

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને કેન્દ્રીય લઘુમતી બાબતો અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી (MoS)ના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. તેમની 6 વર્ષની રાજ્યસભાની મુદત પૂર્ણ થવાને કારણે તેમણે આ મંત્રી પદ છોડવું પડ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ નિર્ણયની પુષ્ટિ કરાઈ છે. 65 વર્ષીય કુરિયન વડાપ્રધાન મોદીની કેબિનેટમાં રાજ્ય મંત્રી (MoS) તરીકે ઓગસ્ટ 2024 થી સેવા આપી રહ્યા હતા. તેઓ ભાજપ સાથે વર્ષ 1980 થી જોડાયેલા છે. રાજ્યસભાની મુદત પૂર્ણ થતાં અને પક્ષ દ્વારા ફરી નોમિનેટ ન કરાતા તેમણે આ નિર્ણય લીધો.