CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
Published on: 23rd June, 2026

ઝારખંડના રાંચીની વિદ્યાર્થિની અવની કેજરીવાલે CBSE ધોરણ-12 રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં 500માંથી 500 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝમાં ઓછા ગુણ મળતા અવનીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ અંગ્રેજીમાં 19 અને બિઝનેસ સ્ટડીઝમાં 5 ગુણ વધતા તેનો કુલ સ્કોર 100 ટકા થયો છે. CBSE દ્વારા આ વર્ષે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરી હતી.