AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
GTA VI ગેમ 19 નવેમ્બરે લોન્ચ થવાની તૈયારી વચ્ચે સાયબર ઠગોએ ફેક બીટા એક્સેસ અને વહેલી ડાઉનલોડ ઓફરની આડમાં ફિશિંગ કૌભાંડ શરૂ કર્યું છે. AIની મદદથી બનાવેલી નકલી ઇમેઇલ્સ અને વેબસાઇટ્સ દ્વારા ગેમર્સની વ્યક્તિગત માહિતી, લોગિન વિગતો અને પાસવર્ડ ચોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને PC અને Android યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોએ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખવા, શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવા અને જરૂર પડે તો તરત પાસવર્ડ બદલી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરવાની સલાહ આપી છે.
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. બંધ ગાડીમાં મૃત્યુ કયા કારણોસર થયું તે રહસ્યમય લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં મૃતદેહ પર કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. આ ઘટના હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બની છે તે જાણવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે, પરંતુ મૃતકના શરીર પર ઈજાના નિશાન ન હોવાથી મોતનું કારણ અકબંધ છે.
અમદાવાદના નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે કારમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
મધ્ય પૂર્વના મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થતાં ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં સર્જાયેલા તણાવ છતાં, ૧૧ ભારતીય જહાજો આ માર્ગ સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે, જ્યારે ૧૦ જહાજો હજુ પ્રક્રિયામાં છે. ભારત માટે આ રૂટ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશની ૮૦-૮૫% તેલની આયાત અને ખરીફ સીઝન માટે જરૂરી ખાતરનો પુરવઠો અહીંથી જ આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ અને યુરિયા-DAP ભરેલા જહાજો આગામી દિવસોમાં ગુજરાતના વડિનાર, મુંદ્રા અને સિક્કા સહિત અન્ય બંદરો પર પહોંચશે, જેનાથી દેશની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહેશે.
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરનાર 8 દિગ્ગજ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર જૂથે મમતાને ચેરપર્સન પદેથી હટાવી અરૂપ રોયને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા અને નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે તેમને 60 ધારાસભ્યો અને 20 સાંસદોનું સમર્થન છે. આ ઘટનાથી TMCમાં મોટા ભંગાણની શક્યતા ઉભી થઈ છે અને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વહીવટી કેડરમાં 'સહાયક સીનિયર કલાર્ક' ની કુલ ૨૫૦ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવાર કોઈપણ શાખામાં ૫૦% ગુણ સાથે સ્નાતક હોવાની સાથે વહીવટી કેડરનો ૩ વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા ૧૮ થી ૩૮ વર્ષની રહેશે. પસંદગી પામનારને પ્રથમ ૩ વર્ષ માટે ₹૨૬,૦૦૦ ફિક્સ માસિક પગાર મળશે અને સામાન્ય વર્ગ માટે અરજી ફી ₹૫૦૦ તેમજ અનામત વર્ગ માટે ₹૨૫૦ નક્કી કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લખીસરાઈના પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો નકલી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે નકલી અને અસલી ઉમેદવાર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા આપવા માટે 30થી 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. આ મામલાના તાર નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય શંકાસ્પદ સહિત ત્રણ MBBS વિદ્યાર્થીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ ત્રણ ચૂંટાયેલા સભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહેનાર દિનેશભાઈ બિલવાળ, કપિલાબેન માવી અને અંબાબેન ચરપોટને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદ તથા તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. સાથે જ તમામ પદાધિકારીઓને આ સભ્યોને પક્ષના સત્તાવાર અને સોશિયલ મીડિયા ગ્રૂપોમાંથી તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એનિમેશન સેન્ટર અને કોચિંગ ક્લાસના ૧૫ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોવાથી અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા અને કાળો ધુમાડો ફેલાતા મોતનો કૂવો બની ગઈ હતી. જીવ બચાવવા લોકોએ બારીઓમાંથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડની ૧૯ ગાડીઓએ ભારે જહેમત બાદ દીવાલમાં ગાબડું પાડી રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે રહેણાંક પરમિશન વાળી આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો કે એનઓસી (NOC) નહોતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજની મોટી માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓમાં જ ઝઘડા શરૂ થયા બાદ, સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અથવા નવું મકાન અને પતિને દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર માંગ્યો હતો. આ ઉપરાંત, પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પગલે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પરથી ૨૪ વર્ષીય કેતન અગ્રવાલના અકસ્માતથી મોતના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્વારા કરાયેલી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આગામી મહિને લગ્ન હોવા છતાં, ૧૯ જૂને સિયાના જન્મદિવસ પર બંનેએ કાવતરું રચી કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. અગાઉ સિયાએ બાલી ટ્રિપ કેન્સલ કરવા પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો અને કેતનને મારવાના બે અસફળ પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે સેલ્ફી લેતા અકસ્માતની ખોટી વાર્તાને નકારીને ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેઇલ્સના આધારે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવી રહી હતી. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, જે અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો, તેણે ડ્રાઈવરો સાથે મળી અસલી પ્લાઝમા ચોરીને તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા ગોઠવી દેતો હતો. આ ચોરાયેલા અસલી પ્લાઝમાને બ્લડ બેન્કોમાં અડધી કિંમતે વેચી દેવામાં આવતો હતો.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
નર્મદા જિલ્લાના દેડિયાપાડા AAP MLA ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં દોષિત ઠેરવાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ નિર્ણયથી તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ચૈતર વસાવા પર સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ સાબિત થયો છે. કાયદા મુજબ, 2 વર્ષથી વધુની જેલ સજા પર ધારાસભ્ય પદ રદ થાય છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
કચ્છના અદાણી મુન્દ્રા એરપોર્ટે સ્ટાર એર સાથે ભાગીદારીમાં મુંબઈ અને ગોવા માટે પ્રથમ ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુન્દ્રા હવે હિંડન, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સહિત કુલ 8 શહેરો સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મેળવશે. 1,900 મીટર લાંબા રનવે અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટ મુસાફરી, વેપાર, લોજિસ્ટિક્સ અને પર્યટનને પ્રોત્સાહન આપશે. આ નવી સેવા મુન્દ્રા પોર્ટ અને SEZના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે તેમજ સમગ્ર કચ્છ પ્રદેશ માટે હવાઈ પરિવહનની નવી તકો ઊભી કરશે.
કચ્છથી મુંબઈ-ગોવા હવે મિનિટોમાં!
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય LRD જવાન પર્વ ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2026માં ગાંધીનગરમાં પોલીસ કર્મચારીના આપઘાતની આ બીજી ઘટના છે. સતત વધતા કાર્યભાર, માનસિક તણાવ, લાંબી ફરજ અને પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિને કારણે પોલીસ કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સહાય અને કાઉન્સેલિંગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
ગાંધીનગરના માણસાના 28 વર્ષીય યુવા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલ મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વારા પાકિસ્તાન પ્રત્યેના પ્રેમના નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. વેન્સે પાકિસ્તાની આર્મી ચીફને મહત્વની વ્યક્તિ ગણાવતાં અમેરિકાના બે રિપબ્લિકન સાંસદો, રિક સ્કોટ અને ટિમ શીહી, ભારોભાર નારાજ થયા છે. સાંસદોએ પાકિસ્તાનના આતંકવાદીઓને આશરો આપવાના અને લાદેનને છુપાવવાના ઇતિહાસની યાદ અપાવી, જ્યારે કતાર પર આતંકવાદી સંગઠનો માટે મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈઝરાયલ અને UAE જેવા દેશો જ મધ્ય પૂર્વમાં અમેરિકાના સાચા અને ભરોસાપાત્ર ભાગીદાર છે.
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 16મી જુલાઈએ યોજાશે. ભગવાનના ત્રણેય રથનું સમારકામ અને રંગરોગાન કાર્ય પૂર્ણતાના આરે છે. આ વખતે ભગવાન જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી કાપડ મંગાવીને સાત જોડી વિશેષ વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રથયાત્રામાં 16 થી 18 ગજરાજ, 108 ટ્રકો અને ભજન મંડળીઓ પરંપરા મુજબ જોડાશે. સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ટેકનિકલ ખામી સામે રથના સ્પેર વ્હીલ પણ તૈયાર રખાયા છે.
અમદાવાદની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૨૦૧૮માં સુરતના વરાછા પોલીસ મથકે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. લાજપોર જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત રેલી દરમિયાન ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવા બદલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિત ૧૫૦ થી ૨૦૦ કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓનો કોઈ ગુનાહિત ઈરાદો નહોતો અને આ કેસ ચલાવવો જાહેર હિતમાં નથી.
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમ દરમિયાન નિયાઝની પ્રસાદી લેતી વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારપીટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને લાકડી-પથ્થરમારો કરવાના આરોપો છે. પોલીસે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી શાંતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
અમદાવાદ સાયબર ફ્રોડમાં હવે સિનિયર સિટીઝન્સને નિશાન બનાવાઈ રહ્યા છે. ચાંદખેડાના 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે બેન્ક અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી, તેમના બેન્ક ખાતામાંથી 39.70 લાખ રૂપિયા ડિજિટલી લૂંટી લેવાયા. વૃદ્ધની ટેકનોલોજીની ઓછી જાણકારીનો લાભ ઉઠાવી, ઠગે OTP મેળવી આ છેતરપિંડી આચરી. બાદમાં બેન્ક એકાઉન્ટ્સ બ્લોક કરાવી 1930 પર ફરિયાદ નોંધાવી છે.
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઇગર' બાદ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આ મંચ પરથી જ શિંદેએ 2029ની લોકસભા ચૂંટણીમાં આ સાંસદોને શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે, જે દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર બની શકે છે. આ જાહેરાતથી ભાજપ અને NCPના કબજાવાળી બેઠકો પર શિંદે સેનાનો દાવો મજબૂત થયો છે, જેના કારણે બેઠકોની વહેંચણી (seat sharing) અંગે રાજકીય ગરમાવો વધ્યો છે.
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરતના સરથાણા ખાતે એક હોટલના રૂમમાં યુવક-યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. જેમાં પહેલા યુવતીનું મોત થયું અને બાદમાં યુવકે પણ અંતિમ શ્વાસ લીધા. મૃતક દંપતીની ઓળખ 23 વર્ષીય માનસી ઉમરેટિયા અને 24 વર્ષીય અભય ત્રાડા તરીકે થઈ છે. બંનેએ બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલમાં જ પરિવારની સંમતિથી સગાઈ થઈ હતી. આગામી સમયમાં તેમના સામાજિક લગ્ન થવાના હતા, પરંતુ પરિવાર તરફથી તારીખ ન મળતા સામાજિક લગ્નમાં અડચણ આવવાની શંકાથી આઘાતજનક પગલું ભર્યું હોવાની શક્યતા છે.
સુરતમાં યુવક-યુવતીએ હોટલમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકે પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાના બહાને ફરિયાદી પાસેથી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદી, જે પંચરની દુકાન ચલાવે છે, તેની પાસે વર્ષ 2012માં પત્રકાર કાળુ ઉર્ફે ભરત દવે આવ્યો હતો. તેણે ન્યૂઝપેપરના સભ્ય બનાવવાના બહાને ફોર્મમાં સહીઓ કરાવીને ફરિયાદીના નામે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી. 2012થી 2016 દરમિયાન, કાળુ અને તેના સાગરિતોએ ફરિયાદીની ખોટી સહીઓનો ઉપયોગ કરીને લગભગ 71 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા, જેના કારણે ફરિયાદીને 4.27 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સ નોટિસ પણ મળી.
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
લખનૌના અલીગંજમાં ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં ૧૫ લોકોના મોત અને ૯ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક યોજી, બેદરકારી બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરાઈ છે. PM અને CM દ્વારા મૃતકોના પરિજનોને આર્થિક સહાય જાહેર કરાઈ છે. બે સભ્યોની SIT ટીમ ૭ દિવસમાં રિપોર્ટ સોંપશે. મહત્વનું છે કે, આ ગેરકાયદે બાંધકામ ધરાવતી ઇમારતને ૨૦૧૬માં જ તોડી પાડવાનો આદેશ હતો, જે પછીથી પાછો ખેંચી લેવાયો હતો.
લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, ૪ અધિકારીઓ સસ્પેન્ડ, ૧૦ વર્ષ જૂનો ગેરકાયદે બાંધકામનો મામલો
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસ મથકમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં GRD જવાન પર જપ્ત કરાયેલ ૧૫.૨૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરોને વેચી મારવાનો આરોપ છે. આ મામલો પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ પરથી સામે આવ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દારૂનો મોટો જથ્થો એક ઇકો કારમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ પુરાવાના આધારે, પોલીસ મથકના GRD જવાન નરેન્દ્ર બારિયા સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં ચકચાર મચાવી છે.
પંચમહાલ GRD જવાન દ્વારા ૧૫ લાખનો દારૂ બુટલેગરને વેચ્યો
મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય!
ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને કેન્દ્રીય લઘુમતી બાબતો અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી (MoS)ના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. તેમની 6 વર્ષની રાજ્યસભાની મુદત પૂર્ણ થવાને કારણે તેમણે આ મંત્રી પદ છોડવું પડ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ નિર્ણયની પુષ્ટિ કરાઈ છે. 65 વર્ષીય કુરિયન વડાપ્રધાન મોદીની કેબિનેટમાં રાજ્ય મંત્રી (MoS) તરીકે ઓગસ્ટ 2024 થી સેવા આપી રહ્યા હતા. તેઓ ભાજપ સાથે વર્ષ 1980 થી જોડાયેલા છે. રાજ્યસભાની મુદત પૂર્ણ થતાં અને પક્ષ દ્વારા ફરી નોમિનેટ ન કરાતા તેમણે આ નિર્ણય લીધો.
મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય!
શિવસેનાના 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC પણ બળવાખોરીના માર્ગે
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના UBTમાં સંકટ વધુ ઘેરું બન્યું છે. 6 સાંસદો બાદ હવે 3 ધારાસભ્યો અને 1 MLCની ગેરહાજરીએ ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધારી છે. આ નેતાઓ ધારાસભ્યોની મહત્વની બેઠકમાંથી ગેરહાજર રહ્યા હતા, જ્યાં સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડવાની હતી. ગેરહાજર ધારાસભ્યો અને MLCએ સ્વાસ્થ્ય, ચૂંટણી અને અંગત કારણોસર ગેરહાજરી દર્શાવી છે, પરંતુ આ ઘટનાક્રમથી પક્ષમાં વધુ બળવાખોરીની અટકળો તેજ બની છે.