કૅપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસમાં ઘરવાપસી? ભાજપને લાગી શકે છે વધુ એક ઝટકો
કૅપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસમાં ઘરવાપસી? ભાજપને લાગી શકે છે વધુ એક ઝટકો
Published on: 04th June, 2026

પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના સંપર્કમાં છે. હુડ્ડાના આ દાવા બાદ ભાજપ ભલે પ્રતિક્રિયા આપી રહ્યું હોય, પરંતુ કૅપ્ટન અમરિન્દર સિંહ ભાજપની કામગીરીથી નારાજ હોવાનું મનાય છે. અકાલી દળ સાથે ગઠબંધનની ઇચ્છા અને હાઇકમાન્ડના સીધા નિર્ણયોથી તેઓ અવગણના અનુભવી રહ્યા છે.