ભાજપના સાંસદ વસાવાએ જ ભાજપ સરકાર સામે જ ઉઠાવ્યા પ્રશ્નો!
ભાજપના સાંસદ વસાવાએ જ ભાજપ સરકાર સામે જ ઉઠાવ્યા પ્રશ્નો!
Published on: 08th August, 2026

સાબારા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જંગલ જમીન અને ખેડાણના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપની નેતાગીરી નબળી પડી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે સવાલો ઉઠાવી આદિવાસી અને ખેડૂતોને ખેતી માટે છૂટ આપવાની માંગ કરી છે. મંજૂરીના અભાવે 10થી 12 ગામના ખેડૂતો પ્રભાવિત છે અને તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ વસાવાએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં સાંસદ અને સરકારની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ખેડૂતોએ હકની જમીન પર ખેતી નહીં કરવા દેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.