ભાવનગરમાં એનાલોગ પનીર મામલે ૧૯ રેસ્ટોરન્ટમાં તપાસ
ભાવનગરમાં એનાલોગ પનીર મામલે ૧૯ રેસ્ટોરન્ટમાં તપાસ
Published on: 08th August, 2026

ભાવનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર સામે સક્રિય બન્યો છે. સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ, બે દિવસમાં ૧૯ રેસ્ટોરન્ટ અને કેફેમાં તપાસ હાથ ધરવામાં આવી. જેમાં પ્રથમ દિવસે ૬ અને બીજા દિવસે વધુ ૧૩ સ્થળોએ તપાસ થઈ. જોકે, આ તપાસ દરમિયાન કોઈ પણ રેસ્ટોરન્ટમાંથી એનાલોગ પનીર મળી આવ્યું નથી. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ અન્ય સ્થળોએ તપાસ ચાલુ રાખવામાં આવશે.