સિહોરમાં ગંદકીનું સામ્રાજ્ય: રોગચાળાનો ભય, નગરપાલિકાની બેદરકારી
સિહોરમાં ગંદકીનું સામ્રાજ્ય: રોગચાળાનો ભય, નગરપાલિકાની બેદરકારી
Published on: 08th August, 2026

સિહોર શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક માસથી કચરો ઉપાડવામાં આવતો નથી, જેના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ઉભરાતી ગટરો અને ગંદા પાણીના નિકાલના અભાવે જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ પરિસ્થિતિને કારણે લોકો ઝાડા-ઉલ્ટી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. લોકોને ઘરના બારી-બારણાં બંધ રાખવાની ફરજ પડી રહી છે. નગરપાલિકાના સેનીટેશન વિભાગ અને સત્તાધીશોની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.