રાજકોટમાં જળસંકટની ભીતિ!
રાજકોટમાં જળસંકટની ભીતિ!
Published on: 08th August, 2026

રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીનું સંકટ ઘેરાવાની શક્યતા છે. શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે, જે માત્ર 10મી સપ્ટેમ્બર સુધી જ ચાલે તેવી સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) આગામી દિવસોમાં પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર પાસે નર્મદાના પાણીની તાત્કાલિક માંગ કરી છે. આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનું સ્તર ઘટતાં તંત્રની ચિંતા વધી છે. જો સારો વરસાદ નહીં પડે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.