રાજકોટમાં પાણી ઘટતાં મનપાએ સરકાર પાસે માંગી નર્મદાની મદદ
રાજકોટમાં પાણી ઘટતાં મનપાએ સરકાર પાસે માંગી નર્મદાની મદદ
Published on: 08th August, 2026

રાજકોટમાં વરસાદના અભાવે ફરી જળસંકટની ભીતિ છે. શહેરને પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 જેવા ડેમોમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે, જે માત્ર સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલી શકે છે. પાણીની અછતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (મનપા) એ સરકાર પાસે નર્મદાના પાણીનો જથ્થો ફાળવવાની તાત્કાલિક માંગ કરી છે. જો વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, તેથી તંત્ર નર્મદાના પાણીની ફાળવણી પર મીટ માંડીને બેઠું છે.