8મા પગાર પંચ: પેન્શન નિયમમાં ફેરફારથી 6.75 લાખ રૂપિયાનો લાભ
8મા પગાર પંચ: પેન્શન નિયમમાં ફેરફારથી 6.75 લાખ રૂપિયાનો લાભ
Published on: 29th August, 2026

કેન્દ્ર સરકારના પેન્શનરો 8th Pay Commission હેઠળ પેન્શન નિયમોમાં મોટા ફેરફારની માગ કરી રહ્યા છે. હાલના નિયમ મુજબ, નિવૃત્તિ સમયે બેસિક પેન્શનનો 40% ભાગ એકસાથે ઉપાડ્યા બાદ 15 વર્ષ પછી પૂરું પેન્શન મળે છે. આ 15 વર્ષનો સમયગાળો ઘટાડીને 11 થી 12 વર્ષ કરવાની રજૂઆત છે. 39 વર્ષ જૂના નિયમો બદલવાની જરૂરિયાત છે કારણ કે તે સમયે વ્યાજ દર અને ફુગાવાની સ્થિતિ અલગ હતી. 11 વર્ષનો સમયગાળો થાય તો રૂ. 35,000 બેસિક પેન્શન ધરાવનારને 4 વર્ષ વહેલા દર મહિને રૂ. 14,000 વધારાનું પેન્શન મળી શકે છે, જે કુલ રૂ. 6.75 લાખનો ફાયદો કરાવશે.