બેંક ખોટો ચાર્જ વસૂલે તો RBIમાં ફરિયાદ કરો: 30 દિવસમાં મળશે ન્યાય!
બેંક ખોટો ચાર્જ વસૂલે તો RBIમાં ફરિયાદ કરો: 30 દિવસમાં મળશે ન્યાય!
Published on: 26th August, 2026

જો તમારી બેંકે તમારી જાણ બહાર પૈસા કાપી લીધા હોય કે અનધિકૃત ટ્રાન્ઝેક્શન કર્યું હોય, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સીધા જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ ફરિયાદ કરી શકો છો. RBIની વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. સૌપ્રથમ, બેંકમાં લેખિત ફરિયાદ કરવી ફરજિયાત છે. ફરિયાદ નોંધાયા પછી, RBI બેંક પાસેથી સ્પષ્ટતા માંગશે અને 30 દિવસમાં તમારા પૈસા પરત મેળવવામાં મદદ કરશે.