આકાશમાં કેમ ધ્રૂજે છે વિમાન?
આકાશમાં કેમ ધ્રૂજે છે વિમાન?
Published on: 05th August, 2026

હજારો ફૂટની ઊંચાઈએ મુસાફરી કરતા વિમાનમાં અચાનક આવતા આંચકા મુસાફરોના ધબકારા વધારી દે છે. તાજેતરમાં ફુકેટથી દિલ્હી જતી Air India flight AI2379 ને Air Turbulence નો સામનો કરવો પડ્યો, જોકે પાઇલટ્સની કુશળતાથી વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું. Air Turbulence એટલે હવાની અશાંત અને અનિયમિત ગતિ, જે જુદા જુદા હવાના પ્રવાહો, તાપમાન કે ઘનતાના અથડામણથી થાય છે. આનાથી વિમાનના દબાણમાં ફેરફાર થાય છે અને આંચકા લાગે છે. આધુનિક વિમાનો અત્યંત તીવ્ર Turbulence સહન કરી શકે છે, પરંતુ સીટ બેલ્ટ ન બાંધવાથી મુસાફરોને ઇજા થવાનું જોખમ રહે છે.