મગર અને ઘડિયાળ: નદીઓના "ઇકોસિસ્ટમ એન્જિનિયર" અને તેમના સંરક્ષણનું મહત્વ
મગર અને ઘડિયાળ: નદીઓના "ઇકોસિસ્ટમ એન્જિનિયર" અને તેમના સંરક્ષણનું મહત્વ
Published on: 05th August, 2026

દર વર્ષે 5મી ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ ટોમિસ્ટોમા ડે’ ઉજવાય છે, જે સંકટગ્રસ્ત 'ફોલ્સ ઘડિયાળ' મગર અને અન્ય મગર પ્રજાતિઓના સંરક્ષણ માટે જાગૃતિ લાવે છે. ભારતની નદીઓમાં ખારા પાણીના મગર, મીઠા પાણીના મગર અને ઘડિયાળ જેવી પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વામિત્રી નદી મગરો માટેનું મુખ્ય આશ્રયસ્થાન છે. મગર અને ઘડિયાળ નદીઓના "ઇકોસિસ્ટમ એન્જિનિયર" તરીકે પાણીને સ્વચ્છ રાખવામાં અને જળચર જીવસૃષ્ટિ જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. શહેરીકરણ, પ્રદૂષણ, ગેરકાયદેસર રેતી ખનન અને ક્લાઇમેટ ચેન્જ જેવા પરિબળો તેમના અસ્તિત્વ માટે ખતરો ઊભો કરી રહ્યા છે.